એકધારા કામથી અકળાય છે,
એટલે આ મોસમો બદલાય છે.
કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ,
સૌની સામે રોજ ડૂબી જાય છે !
કોણ કહે, પાષાણને ભાષા નથી ?
પથ્થરોમાંથી તો મૂર્તિ થાય છે !
જયારે કોઇ પંખીનો માળો તૂટે,
વૃક્ષ પક્ષ સાથે જ ત્યાં વીંધાય છે.
વન અને વનવાસીને જૉયા પછી,
દેહ ને આત્મા વિશે સમજાય છે.
0 comments:
Post a Comment